Tuesday, June 28, 2011
Tuesday, May 17, 2011
Wednesday, April 27, 2011
ગુજરાતી ગૌરવ ગાથા
.........|| ગુજરાતીઓની ખાસિયતો ||.......
વધેલા શરીરવાળા ગુજરાતીઓ માટે કસરત એટલે જમ્યા પછી પાનના ગલ્લા સુધી ચાલતાં જવું તે. મોઢામાં પાન કે મસાલો દબાવી કલાકો સુધી વિષયવિહીન ચર્ચાઓ કરવામાં ગુજરાતીઓની માસ્ટરી છે. પાનના ગલ્લા અને ચાની કીટલીઓ એ ગુજરાતીઓ માટે વૈચારિક આદાન-પ્રદાન માટેના આદર્શ સ્થાનકો છે. સાચો સમાજવાદ આ બે જગ્યાઓએ જ જોવા મળે છે. અહીંયા ગાડી,સ્કૂટરવાળા સાથે જ મજૂર પણ ઊભો રહી ચા પીતો હોય છે. (આ વાત પર બે કટિંગ ચા થઈ જાય, હોં ભઈ!)
દરેક ગુજરાતી મા-બાપને તેમના સંતાનોને ડોક્ટર, એન્જિનિયર કે સી.એ. બનાવવામાં જ રસ હોય છે. સંતાનોની કરિયર મા-બાપ જ નક્કી કરે છે. કોઈ ગુજરાતી મા-બાપને એવું કહેતા સાંભળ્યા નથી કે 'મારે મારા દીકરાને કલાકાર બનાવવો છે, મારે મારી દીકરીને ચિત્રકાર બનાવવી છે,મારો દીકરો ફોજમાં જશે, મારી દીકરીને એથ્લિટ બનાવવી છે, મારા દીકરાને ફેલ્પ્સ જેવો તરવૈયો બનાવવો છે.' (નાટક-ચેટક, કવિતા, સાહિત્ય-લેખનના રવાડે ચઢેલા છોકરાંવને તો આઉટલાઈનના કહેવાય છે, હોં ભઈ !)
રૂપિયા કમાવા સિવાય બીજો કોઈ પણ શોખ ન ધરાવતા ગુજરાતીઓનો એક શોખ ખૂબ જાણીતો છે રજાઓમાં ફરવા જવાનો અને તે પણ સાથે ખૂબ બધા નાસ્તા લઈને. જ્યારે અને જ્યાં પણ ફરવા જઈએ ત્યારે ડબ્બાઓના ડબ્બા ભરીને સેવમમરા,ઢેબરાં,ગાંઠિયાં, પૂરીઓ, અથાણાંસાથે લઈને નીકળીએ છીએ. ઘર બદલ્યું હોય એટલો બધો સામાન લઈ ટ્રેનમાં ખડકાઈએ છીએ અને ટ્રેન ઉપડે કે પંદર જ મિનિટમાં રાડારાડી કરતાં નાસ્તાઓ ઝાપટવા મંડીએ છીએ અને ઢોળવા મંડીએ છીએ. ગુજરાતીઓના ફરવાના શોખના કારણે પરદેશની ટૂરમાં ગુજરાતી થાળી મળતી થઈ ગઈ છે. જો ગુજરાતીઓ ફરવાનું બંધ કરી દે તો બધી જ ટ્રાવેલ્સ એજન્સીઓ અને પેકેજ ટૂર, કપલ ટૂરવાળાઓનું ઉઠમણું થઈ જાય. (આપણે ફરવાની સાથે ફરવાની સલાહ આપવાના પણ શોખીન છીએ. નવસારી સુધી પણ નહીં ગયેલો માણસ નૈનિતાલ કેવી રીતે જવું તેની સલાહ આપી શકે, હોં ભઈ!)
ગુજરાતીઓના લેટેસ્ટ બે શોખ. એક - ટુ વ્હીલર અને બીજો - મોબાઈલ.જગતમાં સૌથી વધારે ટુ વ્હીલર ગુજરાતમાં ફરે છે. આપણું ચાલે એક રૂમમાંથી બીજા રૂમમાં જવા માટે પણ ટુ-વ્હીલર વાપરીએ. પહેલાના જમાનામાં એવું કહેવાતું તું કે 'દેવું કરીને પણ ઘી પીવું.' હવે એવું કહેવાય છે કે 'દેવું કરીને પણ બાઈક લેવું.'ગુજરાતીઓના 'દિલની સૌથી નજીક'જો કોઈ હોય તો તે છે મોબાઈલ (કેમકે આપણે મોબાઈલને હંમેશાં શર્ટના ઉપલાં ખિસ્સામાં જ રાખીએ છીએ.) જાત-જાતના મોબાઈલ, ભાતભાતની રિંગટોનનો આપણને જબરજસ્ત ક્રેઝ છે. મોબાઈલની સૌથી વધુ સ્કિમ આપણા ગુજરાતમાં જ છે અને તેનો સૌથી વધુ લાભ પણ ગુજરાતીઓ ઉઠાવે છે. જો સ્કિમમાં 'ફ્રી' લખ્યું તો તો 'ખ…લ્લા…સ'. રાત્રે દસથી સવારે છ, 'મોબાઈલથી મોબાઈલ ફ્રી' એવી સ્કિમ જાહેર થાય એટલે ગુજરાતીઓ મચી જ પડે.. બાજુ-બાજુમાં બેઠા હોય તો પણ મોબાઈલથી મોબાઈલ વાતો કરે ! (હે…લો…, અને જ્યારે બિલ આવે ત્યારે કંપનીવાળા જોડે સૌથી વધુ બબાલ પણ આપણે જ કરીએ છીએ, હોં ભઈ !)
ગુજરાતીઓની સ્વભાવગત ખાસિયત પણ અનોખી છે. આપણે એવર ઓપ્ટિમિસ્ટ એટલે કે સદાય આશાવાદી માણસો છીએ. શેરબજાર ક…ડ…ડ…ડ…ભૂ...સ…કરતું તૂટે તો પણ આપણે આશા રાખીએ છીએ કે 'કશો વાંધો નહીં, કાલે બજાર ઉપર આવી જ જશે.' આ સાથે આપણે ગુજરાતીઓ એટલા જ ખમીરવંતા પણ છીએ. ભૂકંપ આવે, પૂર આવે કે બોમ્બ બ્લાસ્ટ થાય, આપણે ત્યાં બીજા દિવસથી તો બધું રાબેતા મુજબ….
ગુજરાતીઓની એક સૌથી મોટી ખાસિયત, ખૂબી, વિશેષતા,વિલક્ષણતા એ છે કે આપણે ગુજરાતીઓ ક્યારેય પણ કોઈનાથી ઈમ્પ્રેસ થતા નથી. સાદા શબ્દોમાં કહીએ તો આપણે ક્યારેય કોઈથી ઘીસ ખાતા નથી. ગમે તેવો મોટો ચમરબંધી હોય પણ આપણે તેનાથી અંજાઈ જતા થી. 'એ લાટસા'બ હોય તો એના ઘેર, મારે શું ?' આવી તાસીર જ આપણને 'જીદ કરી દુનિયા બદલવાની' શક્તિ આપે છે અને તેના લીધે જ ગુજરાતની ધરતી પરગાંધીજી, સરદાર અને ધીરુભાઈ જેવી હસ્તીઓ પાકી છે. (શું કહો છો,બરાબરને ભઈ?)
હાચુ કઉં તો મને તો ઍક ગુજરાતી હોવાનો બહું ગર્વ છે, તમને છે?
જો હા તો, ઍક સાચા ગુજરાતી તરીકે તમે પણ આપણી આ 'ગુજરાતી ગૌરવ ગાથા' ને આગળ ધપાવો.
વધેલા શરીરવાળા ગુજરાતીઓ માટે કસરત એટલે જમ્યા પછી પાનના ગલ્લા સુધી ચાલતાં જવું તે. મોઢામાં પાન કે મસાલો દબાવી કલાકો સુધી વિષયવિહીન ચર્ચાઓ કરવામાં ગુજરાતીઓની માસ્ટરી છે. પાનના ગલ્લા અને ચાની કીટલીઓ એ ગુજરાતીઓ માટે વૈચારિક આદાન-પ્રદાન માટેના આદર્શ સ્થાનકો છે. સાચો સમાજવાદ આ બે જગ્યાઓએ જ જોવા મળે છે. અહીંયા ગાડી,સ્કૂટરવાળા સાથે જ મજૂર પણ ઊભો રહી ચા પીતો હોય છે. (આ વાત પર બે કટિંગ ચા થઈ જાય, હોં ભઈ!)
દરેક ગુજરાતી મા-બાપને તેમના સંતાનોને ડોક્ટર, એન્જિનિયર કે સી.એ. બનાવવામાં જ રસ હોય છે. સંતાનોની કરિયર મા-બાપ જ નક્કી કરે છે. કોઈ ગુજરાતી મા-બાપને એવું કહેતા સાંભળ્યા નથી કે 'મારે મારા દીકરાને કલાકાર બનાવવો છે, મારે મારી દીકરીને ચિત્રકાર બનાવવી છે,મારો દીકરો ફોજમાં જશે, મારી દીકરીને એથ્લિટ બનાવવી છે, મારા દીકરાને ફેલ્પ્સ જેવો તરવૈયો બનાવવો છે.' (નાટક-ચેટક, કવિતા, સાહિત્ય-લેખનના રવાડે ચઢેલા છોકરાંવને તો આઉટલાઈનના કહેવાય છે, હોં ભઈ !)
રૂપિયા કમાવા સિવાય બીજો કોઈ પણ શોખ ન ધરાવતા ગુજરાતીઓનો એક શોખ ખૂબ જાણીતો છે રજાઓમાં ફરવા જવાનો અને તે પણ સાથે ખૂબ બધા નાસ્તા લઈને. જ્યારે અને જ્યાં પણ ફરવા જઈએ ત્યારે ડબ્બાઓના ડબ્બા ભરીને સેવમમરા,ઢેબરાં,ગાંઠિયાં, પૂરીઓ, અથાણાંસાથે લઈને નીકળીએ છીએ. ઘર બદલ્યું હોય એટલો બધો સામાન લઈ ટ્રેનમાં ખડકાઈએ છીએ અને ટ્રેન ઉપડે કે પંદર જ મિનિટમાં રાડારાડી કરતાં નાસ્તાઓ ઝાપટવા મંડીએ છીએ અને ઢોળવા મંડીએ છીએ. ગુજરાતીઓના ફરવાના શોખના કારણે પરદેશની ટૂરમાં ગુજરાતી થાળી મળતી થઈ ગઈ છે. જો ગુજરાતીઓ ફરવાનું બંધ કરી દે તો બધી જ ટ્રાવેલ્સ એજન્સીઓ અને પેકેજ ટૂર, કપલ ટૂરવાળાઓનું ઉઠમણું થઈ જાય. (આપણે ફરવાની સાથે ફરવાની સલાહ આપવાના પણ શોખીન છીએ. નવસારી સુધી પણ નહીં ગયેલો માણસ નૈનિતાલ કેવી રીતે જવું તેની સલાહ આપી શકે, હોં ભઈ!)
ગુજરાતીઓના લેટેસ્ટ બે શોખ. એક - ટુ વ્હીલર અને બીજો - મોબાઈલ.જગતમાં સૌથી વધારે ટુ વ્હીલર ગુજરાતમાં ફરે છે. આપણું ચાલે એક રૂમમાંથી બીજા રૂમમાં જવા માટે પણ ટુ-વ્હીલર વાપરીએ. પહેલાના જમાનામાં એવું કહેવાતું તું કે 'દેવું કરીને પણ ઘી પીવું.' હવે એવું કહેવાય છે કે 'દેવું કરીને પણ બાઈક લેવું.'ગુજરાતીઓના 'દિલની સૌથી નજીક'જો કોઈ હોય તો તે છે મોબાઈલ (કેમકે આપણે મોબાઈલને હંમેશાં શર્ટના ઉપલાં ખિસ્સામાં જ રાખીએ છીએ.) જાત-જાતના મોબાઈલ, ભાતભાતની રિંગટોનનો આપણને જબરજસ્ત ક્રેઝ છે. મોબાઈલની સૌથી વધુ સ્કિમ આપણા ગુજરાતમાં જ છે અને તેનો સૌથી વધુ લાભ પણ ગુજરાતીઓ ઉઠાવે છે. જો સ્કિમમાં 'ફ્રી' લખ્યું તો તો 'ખ…લ્લા…સ'. રાત્રે દસથી સવારે છ, 'મોબાઈલથી મોબાઈલ ફ્રી' એવી સ્કિમ જાહેર થાય એટલે ગુજરાતીઓ મચી જ પડે.. બાજુ-બાજુમાં બેઠા હોય તો પણ મોબાઈલથી મોબાઈલ વાતો કરે ! (હે…લો…, અને જ્યારે બિલ આવે ત્યારે કંપનીવાળા જોડે સૌથી વધુ બબાલ પણ આપણે જ કરીએ છીએ, હોં ભઈ !)
ગુજરાતીઓની સ્વભાવગત ખાસિયત પણ અનોખી છે. આપણે એવર ઓપ્ટિમિસ્ટ એટલે કે સદાય આશાવાદી માણસો છીએ. શેરબજાર ક…ડ…ડ…ડ…ભૂ...સ…કરતું તૂટે તો પણ આપણે આશા રાખીએ છીએ કે 'કશો વાંધો નહીં, કાલે બજાર ઉપર આવી જ જશે.' આ સાથે આપણે ગુજરાતીઓ એટલા જ ખમીરવંતા પણ છીએ. ભૂકંપ આવે, પૂર આવે કે બોમ્બ બ્લાસ્ટ થાય, આપણે ત્યાં બીજા દિવસથી તો બધું રાબેતા મુજબ….
ગુજરાતીઓની એક સૌથી મોટી ખાસિયત, ખૂબી, વિશેષતા,વિલક્ષણતા એ છે કે આપણે ગુજરાતીઓ ક્યારેય પણ કોઈનાથી ઈમ્પ્રેસ થતા નથી. સાદા શબ્દોમાં કહીએ તો આપણે ક્યારેય કોઈથી ઘીસ ખાતા નથી. ગમે તેવો મોટો ચમરબંધી હોય પણ આપણે તેનાથી અંજાઈ જતા થી. 'એ લાટસા'બ હોય તો એના ઘેર, મારે શું ?' આવી તાસીર જ આપણને 'જીદ કરી દુનિયા બદલવાની' શક્તિ આપે છે અને તેના લીધે જ ગુજરાતની ધરતી પરગાંધીજી, સરદાર અને ધીરુભાઈ જેવી હસ્તીઓ પાકી છે. (શું કહો છો,બરાબરને ભઈ?)
હાચુ કઉં તો મને તો ઍક ગુજરાતી હોવાનો બહું ગર્વ છે, તમને છે?
જો હા તો, ઍક સાચા ગુજરાતી તરીકે તમે પણ આપણી આ 'ગુજરાતી ગૌરવ ગાથા' ને આગળ ધપાવો.
Monday, February 7, 2011
Saturday, January 29, 2011
Monday, January 17, 2011
બ્રિટિશ દૂધવાળો ‘ગુજરાતી’ બોલે છે!

૬૯ વર્ષીય બ્રિટિશ દૂધવાળાએ કમસેકમ બે ભારતીય ભાષાઓ, ગુજરાતી અને બંગાળી પર પ્રભુત્વ મેળવ્યું છે, કારણ કે તેના ઘણા ગ્રાહકો અંગ્રેજી બોલી શકતા નથી. જોન ‘જિમી’ માથેરે ૧૯૬૦માં પહેલી વખત દૂધ વેચવાનું શરૂ કર્યું હતું અને ટૂંક સમયમાં તેણે ભારત અને બાંગ્લાદેશથી આવેલા લોકો સાથે મિત્રતા કરી હતી.
વધુ ને વધુ એશિયન પરિવારો અહીં સ્થાયી થવા લાગ્યા હતા, પરંતુ તેઓ થોડું અંગ્રેજી જાણતા હતા અથવા બિલકુલ જાણતા ન હતા. આથી આ બ્રિટિશ દૂધવાળાએ તેઓની ભાષા શીખવાનું શરૂ કર્યું હતું અને ગુજરાતી તથા બંગાળી બોલવા પર પ્રભુત્વ મેળવ્યું હતું. જોને ‘ડેઇલી એક્સપ્રેસ’ને જણાવ્યું હતું, ‘મેં જ્યારે ૧૯૬૦માં શરૂઆત કરી ત્યારે આ પ્રદેશમાં ગણતરીના એશિયન પરિવારો હતા. પહેલાં જે કેટલાક લોકોને હું દૂધ આપવા જતો હતો તેઓને હું આજે પણ યાદ કરી શકું છું. તેઓ સારા, ભદ્ર લોકો હતા, પરંતુ તેઓનું અંગ્રેજી સારું ન હતું. આથી મેં જાતે જ તેઓની ભાષા શીખવા માંડી અને એનાથી પરિસ્થિતિ ઘણી સરળ બની.’
ભારતીય સંસ્કૃતિઓની નિષ્ણાત પ્રોફેસર રાચેલ ડવીયર કહે છે, ‘ઘણા ઓછા બિનભારતીયો ગુજરાતી શીખે છે. મેં ઓમાનમાં કેટલાક આરબ વેપારીઓને ગુજરાતીમાં વાત કરતા સાંભળ્યા હતા અને ગુજરાતી જાણનાર ઓછા વિદ્વાનો છે.’
સ્થાનિક લોકોએ પણ સમર્થન આપ્યું છે કે ગુજરાતી અને બંગાળી ભાષા પરના જોનના પ્રભુત્વને લીધે તેનો ભારતીય સમાજ સાથે અતૂટ સંબંધ બંધાયો છે. જોનને ૧૯૭૪થી ઓળખતા મોહંમદ સૂફી કહે છે, ‘મને યાદ છે કે તે કોઈના ઘરે ગયો હતો અને ઘરની સ્ત્રીને શું જોઈએ છે તે તેણે પૂછ્યું હતું. તેને આટલું સરસ ગુજરાતી બોલતો જોઈને મને આંચકો લાગ્યો હતો.’
માઇગ્રેશન વોચ, યુકેના પ્રવકતા એલ્પ મેહમેતે ઉમેર્યું હતું, ‘પશ્ચિમી દેશની વ્યક્તિ માટે ગુજરાતી શીખવામાં સરળ ભાષા નથી અને આ તો બ્રિટિશ દૂધવાળાની શ્રેષ્ઠ પરંપરા છે, જે તેના ગ્રાહકની સેવા કરતા શ્રેષ્ઠ રસ્તા શોધે છે.’
Source: Agency, London | Last Updated 11:09 AM [IST](14/07/2010)
Monday, January 10, 2011
Govt promises PIOs life-long visa-free entry
New Delhi: Reaching out to the Indian diaspora, Prime Minister Manmohan Singh on Saturday announced a special facility to enable them life-long visa-free entry into the country and participation in business and other activities here.
Singh said the government had decided to merge the Overseas Citizen of India (OCI) and the Persons of Indian Origin (PIO) cards into a single facility.
Addressing a gathering of Indian diaspora here, he pointed out that the government had introduced the OCI and PIO cards to facilitate visa-free travel of NRIs and Indian origin people to India as well as to provide them rights of residency and participation in business and educational activities.
“We have reviewed the functioning of these schemes, and have decided to merge the OCI and PIO cards into a single facility. We hope to iron out some of the problems that have arisen in the implementation of these schemes,” he said.
Later, Overseas Indian Affairs Minister Vayalar Ravi said government will only issue Overseas Citizen of India card which will be a kind of lifelong visa.
“We have to finalise the nitty gritty. But it has been decided that it will be OCI card and holder of the card will have lifelong visa free entry into the country,” he said.
PIO cards are given to Indians who have migrated permanently to other countries over centuries in a bid to encourage them to visit and invest in the country of origin.
A PIO card holder does not require a visa to visit India and the card is valid for 15 years. A PIO card holder enjoys several economic and educational benefits.
On the other hand, the OCI card is a kind of lifelong visa and any India origin person can apply for it if his host country allows dual citizenship. Talking about the Indians who emigrate for work, Singh said their welfare is “a matter of special concern for us”.
To improve the conditions for migration, India has signed Social Security Agreements with 12 countries and finalised Labour Mobility Partnerships with two others, he said, adding a generic arrangement is also being negotiated with the European Union also.
“As a further measure, we have now extended the facility of the Indian Community Welfare Fund to all Indian Missions,” he said.
At present, such funds are available in 42 missions.
Singh said the government has decided to establish new Indian cultural centres in the US, Canada, Saudi Arabia, France and Australia.
“I urge the Indian communities in these countries to support and patronise these centres so that they become effective instruments for projecting the diversity and splendour of Indian culture,” the Prime Minister said.
FM allays NRIs’ fear over DTC
Finance minister Pranab Mukherjee on Saturday allayed apprehensions of non-resident Indians (NRIs) that the proposed Direct Taxes Code (DTC) will be hard on them in terms of their tax liability. Clarifying that no decision has been taken in terms of DTC as the bill is currently being scrutinised by a standing committee of Parliament, Mukherjee said it is a wrong perception that NRIs become Indian resident for the purpose of taxation if he stays in India for 60 days in a financial year. Ministry of Overseas Affairs has approached the finance ministry over this clause, which the finance minister termed as misconception.
source: Times of India 9th January, 2011
Singh said the government had decided to merge the Overseas Citizen of India (OCI) and the Persons of Indian Origin (PIO) cards into a single facility.
Addressing a gathering of Indian diaspora here, he pointed out that the government had introduced the OCI and PIO cards to facilitate visa-free travel of NRIs and Indian origin people to India as well as to provide them rights of residency and participation in business and educational activities.
“We have reviewed the functioning of these schemes, and have decided to merge the OCI and PIO cards into a single facility. We hope to iron out some of the problems that have arisen in the implementation of these schemes,” he said.
Later, Overseas Indian Affairs Minister Vayalar Ravi said government will only issue Overseas Citizen of India card which will be a kind of lifelong visa.
“We have to finalise the nitty gritty. But it has been decided that it will be OCI card and holder of the card will have lifelong visa free entry into the country,” he said.
PIO cards are given to Indians who have migrated permanently to other countries over centuries in a bid to encourage them to visit and invest in the country of origin.
A PIO card holder does not require a visa to visit India and the card is valid for 15 years. A PIO card holder enjoys several economic and educational benefits.
On the other hand, the OCI card is a kind of lifelong visa and any India origin person can apply for it if his host country allows dual citizenship. Talking about the Indians who emigrate for work, Singh said their welfare is “a matter of special concern for us”.
To improve the conditions for migration, India has signed Social Security Agreements with 12 countries and finalised Labour Mobility Partnerships with two others, he said, adding a generic arrangement is also being negotiated with the European Union also.
“As a further measure, we have now extended the facility of the Indian Community Welfare Fund to all Indian Missions,” he said.
At present, such funds are available in 42 missions.
Singh said the government has decided to establish new Indian cultural centres in the US, Canada, Saudi Arabia, France and Australia.
“I urge the Indian communities in these countries to support and patronise these centres so that they become effective instruments for projecting the diversity and splendour of Indian culture,” the Prime Minister said.
FM allays NRIs’ fear over DTC
Finance minister Pranab Mukherjee on Saturday allayed apprehensions of non-resident Indians (NRIs) that the proposed Direct Taxes Code (DTC) will be hard on them in terms of their tax liability. Clarifying that no decision has been taken in terms of DTC as the bill is currently being scrutinised by a standing committee of Parliament, Mukherjee said it is a wrong perception that NRIs become Indian resident for the purpose of taxation if he stays in India for 60 days in a financial year. Ministry of Overseas Affairs has approached the finance ministry over this clause, which the finance minister termed as misconception.
source: Times of India 9th January, 2011
Subscribe to:
Posts (Atom)

